Saturday, 16 April 2016

Jai Swaminarayan

                                  JAI SWAMINARAYAN

સંવત ૧૯૨૧ના જેઠ સુદ ૧૧ ભીમ અગિયારસને સોમવારે બપોર નમતે કોઠારમાં હરિશંકરભાઈને વાત કરી જે, આજ સવારની સભામાં બહુ સારી વાર્તા થઈ. તે શાથી જે, ભગવાન આવ્યા હતા, ને હમણાં કોઈને સમજાતું નહિ હોય તો આગળ સમજાશે. ને ઈંતડી આંચળે રહે છે તો પણ લોહી પામે છે ને વાછડું છેટું રહે છે તો પણ દૂધ પામે છે...........
મારે તો જીવને ભગવાન વિના બીજે જોડવા નથી ને તમને પ્રવૃત્તિમાંથી છોડાવીને સુખે ભજન કરાવીશ, એ વગેરે ઘણી તરેહની વાતો કરી........ આ તો દિશમાત્ર લખી છે.........
હરિશંકરભાઈએ પૂછ્યું જે, તમે તો અંતરજામી છો તેથી તમારી આગળ પ્રાર્થના કરવી ઘટતી નથી. ...........
ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, અંતરજામી આગળ પણ પૂછવાનું હોય તે પૂછવું......... ને કહ્યું કે તમારે આંહીં પણ ભગવાનના ધામના જેવું સુખ માનવું...... ને તમારે પૂર્વનો સંસ્કાર બળિયો છે માટે ભજન કર્યા કરવું ને વરતાલમાં બધાં માણસ મારામાં તણાઈ ગયાં...... ને કેટલાકે ધોતિયાં ઓઢાડ્યાં ને હું તો મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યો, એમ પોતાના સામર્થ્યની વાત કરી.............
-------------------------
અક્ષર વચનો- ૫/૩૩-૩૪
સત્પુરુષની તો એક જ નિશાની.......જીવને પ્રગટ ભગવાન નું સુખ આપી.....એમાં જોડે.....પોતાના સંગે અક્ષરરૂપ કરે અને પુરુષોત્તમ ની પ્રાપ્તિ કરાવે..........હરિશંકરભાઈ સાથે નો આ સંવાદ ..તેનો એક એક શબ્દ એ વાત નો દ્યોતક છે.....
સત્પુરુષ ઓળખાણા એટલે અડધી લડાઈ જીતી ગયા એમ સમજવું...!
જય સ્વામીનારાયણ.........સર્વને સુપ્રભાતમ.....

No comments:

Post a Comment