JAI SWAMINARAYAN
વણથલીના કલ્યાણભાઇને સંકલ્પઃ “ મહારાજ અહીં ચમત્કાર બતાવે તો ઘણા સત્સંગી થાય ” .એકવાર મહારાજ વણથલી પધાર્યા અને તેમને ત્યાં ઘરે સભા ભરી. ત્યાં ગામના આગેવાનો પણ આવેલા અને ખૂબ કથા વાર્તા કરી, મહારાજે કહ્યું “ સહુએ ભગવાન ભજવા ” . કણબી એ કહ્યું કે દાણા કોણ આપે ? નહીતર આખો દિવસ ભક્તિ કરીએ. મહારાજે કહ્યું કલ્યાણજી ! પેલી કોઠીનું સાણું ઉઘાડો .કલ્યાણજી કહે મહારાજ કોઠીમાં કાંઇ નથી, જીવ જંતુ ના જાય એટલે સાણું બંધ છે , પણ શ્રીહરિએ પરાણે ઉઘડાવ્યું, ત્યાતો બાજરાનો ઢગલો થયો . શ્રીહરિએ કહ્યું બાજરો અમે આપશું તમારે જોઇએ તેટલો લઇ જાવ. આગેવાનો એ કહ્યું સ્વામિનારાયણ, તમારા નિયમ, ભક્તિ અમારાથી ન થાય ત્યારે શ્રીહરિ એ કહ્યું “ કલ્યાણજી ! આ બાજરો નહિ ખુટે, હવે સંતોનુ સદાવ્રત તમારે ત્યાં; કલ્યાણજી ! ચમત્કારથી કોઇ સત્સંગી થતું નથી ”. (શ્રીહરિચરિત્રચિંતામણિ ૧/૧૭૫ )
⊍ જય સ્વામિનારાયણ ⊍
⊍ જય સ્વામિનારાયણ ⊍
No comments:
Post a Comment