Saturday, 16 April 2016

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


મન, ઇન્દ્રિયુંને વગર પ્રયોજને( કારણે) ચાળા ચૂંથવાનો ( બિનજરૂરી ક્રિયાઓ.....નાટક) ) સ્વભાવ છે, માટે તેને જાણીને જુદા પડવું......................( પોતાને દેહ નહિ ..આત્મારૂપ માનવું)
સ્પર્શમાં ને જિહ્‌વામાં( જીભમાં) તો જીવ ચોંટેલા જ છે, માટે તેને જાણવું કે કોઈ નહિ ચોંટતા( જેને વિષયો-સ્વાદમાં રસ ) હોય તેને પૂર્વેનો સંસ્કાર છે ને .............આ માર્ગ તો નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવો છે...................
-----------------------------
અક્ષર વચનો- ૫/૫૧-૫૨
જે જીવ મન ને કાબુમાં રાખી શકે છે.....તે ઇન્દ્રિયો ને કાબુ માં રાખી શકે છે.......પોતે દેહ નથી પણ આત્મા છે....એવું સાંખ્ય સિદ્ધ કરી શકે છે.....અને વળી આવું કરવું એ અતિ અઘરું છે...નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવું અઘરું છે.......સ્વામી કહે છે એમ....
--- જો જીવ આવું કરી શકે તો- કા તો એના પૂર્વ ના સંસ્કાર હોય તો થાય...
--- કાં તો મોટા પુરુષ ની આજ્ઞા માં રહે તો થાય......
માટે- આપણા માટે હવે શક્ય અને સહજ માર્ગ.....કલ્યાણ નો માર્ગ એક જ.....સત્પુરુષને ઓળખવા....સમજવા અને જીવમાં દ્રઢ કરી એમને રાજી કરી લેવા......!
સત્પુરુષ જ પ્રગટ પ્રમાણ અવિનાશી......શ્રીજી ની પ્રાપ્તિ કરાવશે......અને આ જન્મોજન્મના ચક્કર છૂટશે.....
જય સ્વામિનારાયણ..........સર્વે ને સુપ્રભાતમ......

No comments:

Post a Comment