JAI SWAMINARAYAN
પ્રમુખ ચરીતમ
-----------------------------
આજે પણ એક અમીટ છાપ તે વખતની પડેલી છે. તે હજુ આંખ સામે જેમ છે તેમ તરવરે છે................ ૧૯૫૯માં યોગીજી મહારાજની સાથે મારે સેવામાં આફ્રિકા જવાનું થયું હતું. તે વખતે હું સંતોની રસોઈ કરતો. તેમાં સંતમંડળ આખું મોળી રસોઈની રુચિવાળું હતું. યોગીજી મહારાજને મોળું ને ફીક્કું જમવાનું જોઈએ. તેલ-મસાલાનો તમતમાટ તેમને ફાવતો નહીં. સંતસ્વામી ને બાલમુકુંદ સ્વામી પણ મોળું જ જમતા. રહ્યા એક પ્રમુખસ્વામી મહારાજ. તેઓ તીખું જમી શકતા ને તીખું હોય તો તેમને રુચે. પણ ૯ મહિના સુધી જે સર્વ સામાન્ય રસોઈ મને આવડે તેવી હું બનાવતો. કારણ, હું પણ શીખાઉ હતો. પરંતુ ક્યારેય પ્રમુખસ્વામી મહારાજે રસોઈ અંગે ટકોર કરી નથી. રસોઈમાં ભૂલ થવાનો સંભવ હતો પણ એમણે ક્યારેય સૂચન કર્યું નથી કે 'આમ હતું કે તેમ હતું.' અથવા 'આમ કરવું કે તેમ કરવું.' તેમજ કોઈ વસ્તુ બનાવવાનું નાનું અમથું સૂચન પણ નહિ. પત્તરમાં જે પીરસીએ તે તેઓ નતમસ્તકે મહારાજને સંભારીને જમી જતા. ત્યારે પ્રથમ પરિચય થયો કે આ વિભૂતિ સ્વાદથી પર છે..................
----------------------------
પુ. ઈશ્વરચરણ સ્વામી
-----------------------------
આજે પણ એક અમીટ છાપ તે વખતની પડેલી છે. તે હજુ આંખ સામે જેમ છે તેમ તરવરે છે................ ૧૯૫૯માં યોગીજી મહારાજની સાથે મારે સેવામાં આફ્રિકા જવાનું થયું હતું. તે વખતે હું સંતોની રસોઈ કરતો. તેમાં સંતમંડળ આખું મોળી રસોઈની રુચિવાળું હતું. યોગીજી મહારાજને મોળું ને ફીક્કું જમવાનું જોઈએ. તેલ-મસાલાનો તમતમાટ તેમને ફાવતો નહીં. સંતસ્વામી ને બાલમુકુંદ સ્વામી પણ મોળું જ જમતા. રહ્યા એક પ્રમુખસ્વામી મહારાજ. તેઓ તીખું જમી શકતા ને તીખું હોય તો તેમને રુચે. પણ ૯ મહિના સુધી જે સર્વ સામાન્ય રસોઈ મને આવડે તેવી હું બનાવતો. કારણ, હું પણ શીખાઉ હતો. પરંતુ ક્યારેય પ્રમુખસ્વામી મહારાજે રસોઈ અંગે ટકોર કરી નથી. રસોઈમાં ભૂલ થવાનો સંભવ હતો પણ એમણે ક્યારેય સૂચન કર્યું નથી કે 'આમ હતું કે તેમ હતું.' અથવા 'આમ કરવું કે તેમ કરવું.' તેમજ કોઈ વસ્તુ બનાવવાનું નાનું અમથું સૂચન પણ નહિ. પત્તરમાં જે પીરસીએ તે તેઓ નતમસ્તકે મહારાજને સંભારીને જમી જતા. ત્યારે પ્રથમ પરિચય થયો કે આ વિભૂતિ સ્વાદથી પર છે..................
----------------------------
પુ. ઈશ્વરચરણ સ્વામી
No comments:
Post a Comment