Saturday, 16 April 2016

Jai Swaminarayan

                         JAI SWAMINARAYAN


ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિમાં જોડાય તો પણ બંધાય તો ખરો. પણ આજ્ઞા પાળ્યેથી પ્રસન્નતા થાય. ત્યાં દ્રષ્ટાંત દીધું જે, રાજાની આજ્ઞાથી સિપાઈ કૂવામાં સાત વાર ઊતર્યો ને પલળીને આવ્યો તો પણ ગામ આપ્યું..............
-----------------------
અક્ષર વાતો-૫/૨૨
શુભ એકાદશી..........ચાલો દસ ઇન્દ્રિયો અને એક અંતઃકરણ ને - એક શ્રીજી માં જ જોડીએ......તો આજની એકાદશી સાર્થક....!
ભગવાન ની આજ્ઞા માં જ સુખ છે.....એમની આજ્ઞા લોપી ને....એમના રાજીપા ને લોપીને જે કાર્ય થાય એ દુખ દાયક જ હોય.....! જુઓ ભગતજી મહારાજ નું જીવનચરિત્ર.......મૂળ અનાદિ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ એમને પ્રવૃત્તિ માં એવા તે જોડ્યા કે- ભગતજી મહારાજ ના દેહના ચૂરેચૂરા થઇ ગયા.....જેમ સ્વામી ની જીભ વળે તેમ ભગતજી નો દેહ વળે.....! ભગતજી ૨૪ કલાક ના દિવસમાંથી માંડ કલાકેક આરામ કરતા.....અને એ પણ બે દિવસ ના નકોરડા ઉપવાસ..ત્રીજા દિવસે છાસ-રોટલાનું એકટાણું.....! પણ નિષ્ઠા પાકી,,,,,,સત્પુરુષ ની આજ્ઞા નો મહિમા.....તે સતત સાડા ત્રણ વર્ષ સુધી આવી અસ્ખલિત પ્રવૃત્તિ કરી અને સ્વામી ને રાજી કરી દીધા.....! અને અક્ષર સંગાથે અક્ષર થયા...!!!!! થોર ના છોડે કેળા આવ્યા....!!!!! એક આમ ગૃહસ્થ બ્રહ્મરૂપ થઇ ગયો.....!
આમ, ચાલો.....બળ પણ શ્રીજીનું જ માંગીએ......સત્પુરુષ ની સેવા-સમજણ-આજ્ઞા માં રહીએ........અને બ્રહ્મરૂપ થઇ પુરુષોત્તમને પામીએ....!
સુપ્રભાતમ.....સર્વને એકાદશીના જય સ્વામિનારાયણ...

No comments:

Post a Comment