Saturday, 16 April 2016

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN


સ્વામીએ વાત કરી જે, માખીમાંથી સૂર્ય કરવો એટલો દાખડો ભગવાન જેવા હોય તેનાથી થાય, બીજાથી થાય નહિ....................
સત્સંગે કરીને ભગવાન વશ થાય તેવા બીજા કોઈ સાધને થાતા નથી. તે સત્સંગનો અર્થ એ છે જે, ભગવાન ને સંત તેને વિષે જેટલો સદ્‍ભાવ તેટલો સત્સંગ છે, તે થવો દુર્લભ છે.............
---------------------
અક્ષર વચનો-૫/૨૫-૨૬
શરણે આવેલા સાધારણ જીવને બ્રહ્મરૂપ કરવો એટલે કે માખીમાં થી સૂર્ય કરવો....અને એ તો ગુણાતીતની માલિકી નો ગુણ.....કાંતો સ્વયમ શ્રીજી નો ગુણ...........જુઓ- ભગતજી મહારાજનું જીવન ચરિત્ર......એક સામાન્ય-ગૃહસ્થ દરજી ને મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના અઢળક રાજીપા એ -બ્રહ્મસ્વરૂપ બનાવી દીધો........! આજે પણ સત્સંગમાં જુઓ......પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે શરણે આવેલા અનેક સાધારણ જીવને મુક્ત ની સ્થિતિ પમાડી છે......૯૫૦ સંતો છે આજે આપણી સંસ્થામાં ..એમનું પૂર્વાશ્રમ પુછજો અને આજની સ્થિતિ પુછજો......સ્થિતિ એટલે કે અધ્યાત્મિક સ્થિતિ......!!! સમજાઈ જાશે કે આજે શ્રીજી ક્યા પ્રગટ છે????
સત્પુરુષ ને રાજી કરીને -જીવને બ્રહ્મસુખ મળે છે ........પ્રગટ પુરુશોત્તમનું સુખ મળે છે....એ બીજા કોઈ સાધને મળતું નથી......અને એ માટે સાચો સત્સંગ કરવો પડે......સત્સંગ જ ભગવાન ના રાજીપા નો માર્ગ.....! માટે સત્સંગ સાચો પકડજો........સત્પુરુષ સાચા પકડજો.....અને સર્વોપરી શ્રીજી સાચા પકડજો..................નહીતર જીવ મોક્ષના માર્ગમાં થી ફંટાઈ જશે............!!!
આપણે સદભાગી છીએ કે આવો સદા નવપલ્લિત સત્સંગ.....ચિરંજીવી ગુણાતીત પરંપરા અને પૂર્ણ પુરુષોત્તમ નું પ્રગટ સુખ મળ્યું છે..........ચાલો તેને ઉજવીએ......તેનો ગુલાલ કરીએ.....બ્રહ્માંડ ને તેના મહિમા ગાન થી રંગી દઈએ...........
સુપ્રભાતમ..........સર્વને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ....... 

No comments:

Post a Comment