JAI SWAMINARAYAN
દિગ્દર્શન
સ્વામીશ્રી સવારે યોગીજી મહારાજની રૂમમાં દર્શને પધાર્યા. એક સંત યોગીજી મહારાજનીપ્રસાદીભૂત વાત બોલતાં કહે, 'યોગીજી મહારાજે કહ્યું કે અમે ૫૦ વર્ષથી સત્સંગમાં છીએ. તે મોટા સદ્ગુરુ થકી એક જ વાત શીખ્યા છીએ કે ખટપટમાં ન પડવું. ગુણાતીત બાગના કાંટાનોય અવગુણ ન લેવો.'
સ્વામીશ્રી યોગીજી મહારાજની મૂર્તિનીપ્રદક્ષિણા ફરતા કહે, 'ખટ ને પટ.' પછી કહે, 'કાંટાનોય અવગુણ ન લેવો. કાંટો વાગે તો લેવો પડે ને !' થોડી ક્ષણો બાદ કહે, 'કાંટો એટલે કોઈ બોલ્યું-ચાલ્યું હોય તે. તે કાંટો ધીરે રહીને કાઢી લેવો. હું આત્મા છુ _, અક્ષર છુ _. એમ માને તો કાંટો ન વાગે. તું આવો, તું તેવો... એમ થોડું કહેવાય છે ? કાંટો (શબ્દનો, અપમાનનો) વાગે તો કોઈને કહેતા ન ફરવું. ધીરે રહીને કાઢી નાખવો. કોઈને ખબર ન પડે.'
સ્વામીશ્રીના થોડા શબ્દો એટલે જીવન-ઉજાસનું દિગ્દર્શન. (તા. ૨૫-૧૨-૯૮, સારંગપુર)
સ્વામીશ્રી સવારે યોગીજી મહારાજની રૂમમાં દર્શને પધાર્યા. એક સંત યોગીજી મહારાજનીપ્રસાદીભૂત વાત બોલતાં કહે, 'યોગીજી મહારાજે કહ્યું કે અમે ૫૦ વર્ષથી સત્સંગમાં છીએ. તે મોટા સદ્ગુરુ થકી એક જ વાત શીખ્યા છીએ કે ખટપટમાં ન પડવું. ગુણાતીત બાગના કાંટાનોય અવગુણ ન લેવો.'
સ્વામીશ્રી યોગીજી મહારાજની મૂર્તિનીપ્રદક્ષિણા ફરતા કહે, 'ખટ ને પટ.' પછી કહે, 'કાંટાનોય અવગુણ ન લેવો. કાંટો વાગે તો લેવો પડે ને !' થોડી ક્ષણો બાદ કહે, 'કાંટો એટલે કોઈ બોલ્યું-ચાલ્યું હોય તે. તે કાંટો ધીરે રહીને કાઢી લેવો. હું આત્મા છુ _, અક્ષર છુ _. એમ માને તો કાંટો ન વાગે. તું આવો, તું તેવો... એમ થોડું કહેવાય છે ? કાંટો (શબ્દનો, અપમાનનો) વાગે તો કોઈને કહેતા ન ફરવું. ધીરે રહીને કાઢી નાખવો. કોઈને ખબર ન પડે.'
સ્વામીશ્રીના થોડા શબ્દો એટલે જીવન-ઉજાસનું દિગ્દર્શન. (તા. ૨૫-૧૨-૯૮, સારંગપુર)
No comments:
Post a Comment