Saturday, 16 April 2016

Jai Swaminarayan

                             JAI SWAMINARAYAN


આ જીવ બધાય સારા છે, પણ અખંડ ચિંતવન નથી થાતું તેનું કારણ એ છે જે, અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય.............
અંતર્યામી આગળ મનને ચોરે તે મૂરખ કહેવાય. સત્પુરુષને સેવવા તેનો અર્થ કર્યો જે, હાથ જોડવા ને અનુવૃત્તિ ને મહિમા સમજવો તેને કાંઈ કસર રહે નહિ.................
સર્વે રૂડા ગુણ અભ્યાસથી તથા સંગથી આવે છે પણ ભગવાનની તથા સાધુની નિષ્ઠા તે તો પૂર્વ સંસ્કારથી તથા મોટાના અનુગ્રહથી થાય છે ને જેટલું મોટાના સમાગમમાં રહેવાય તેટલો તેને સંસ્કાર તથા અનુગ્રહ સમજવો ને જેણે જેટલી નિષ્ઠા પ્રવર્તાવી તેટલી તેની મોટાઈ સમજવી...........
પૂર્વનો સંસ્કાર હોય પણ ઊતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય ને સો જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય...........
--------------------------------
અક્ષર વાતો-૫/૩૫-૩૯
શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ-૧માં કહે છે તેમ- એક ભગવાનમાં અખંડ વૃતિ રાખવી તેનાથી મોટું કાર્ય ...અઘરું કાર્ય બીજું કોઈ નથી.....પણ આ અશક્ય નથી.....ભગતજી મહારાજે -અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અનુવૃતી સમજી....પોતાના દેહ ના ચૂરેચૂરા કરી -સ્વામીને રાજી કરી લીધા અને ભગવાનની અખંડ મૂર્તિ માંગી લીધી...!!! સ્વામી ના નિત્ય માર્ગદર્શન....હોંકારા....સર્વોપરી વાતો થી ભગતજી મહારાજ બ્રહ્મરૂપ થઇ ગયા..........અને ગુણાતીત એ જ મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એ જ સર્વોપરી..પૂર્ણ પુરુષોત્તમ - એ નિષ્ઠા દ્રઢ થઇ ગઈ..........!!!
આમ, જેમ બને તેમ મોટા પુરુષ ના રાજીપા માં રહેવું.....તેમની અનુવૃતી સમજવી....મનની ગાંઠો મૂકી દેવી.....નિષ્કપટ થવું.......શ્રીજી નો રાજીપો સમજવો અને એમની મૂર્તિ ને બ્રહ્મભાવે અખંડ અંતરમાં ધારવી......નિરંતર અભ્યાસ કરવો....
આખરે બ્રહ્મરૂપ થવું અને પુરુષોત્તમ ની ભક્તિ કરવી એ જ આપણો ધ્યેય...!!!

No comments:

Post a Comment